હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?
ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ?
પડયા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા,
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?
ફલક પર જિંદગીના ભૂલથી ભટકયા, ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?
‘ગની’ ગીતોની, ટહુકાની તરહ બદલાય ઉદ્યાને,
પુરાણી ડાળના પંખી બનીને બેસવાથી શું ?
-ગની દહીંવાલા