
ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ
રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો.
ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો.
વાવ્યા’તા સૂર્યમુખી ને ઉગ્યાં ચોમાસાં,
છતે પાણીએ હવે કરમાય છે આંખો.
ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,
મરજી મુજબ ક્યાં બીડાય છે આં ખો?
-ડૉ. કલ્પેન્દુ વૈષ્ણવ
E mail :- kalpendu.vaishnav (at) gmail (Dot) com