ચાહત તો સૌને પુષ્પની,
પણ કંટકોનો ડર છે,
છતાં હકીકત એ જ કે
કંટકો જ પુષ્પનો રક્ષક છે!
છે કિનારા અલગ,
પણ સરિતાને જળનો ડર છે,
કિંતુ કથા જળની એ જ કે,
સરિતાનું અસ્તિત્વ બને છે!
નયનના બે પોપચાંને,
અશ્રુઓનો ડર છે,
ખરું કહો તો આ જ અશ્રુઓ,
નયનોની શોભા બને છે!
-ચંદ્રકાંત સુથાર, અમદાવાદ