Archive | અનુવાદીત કાવ્યો RSS feed for this section

પ્રેમપ્રીતિ

2 Dec

ડેરેક વોલકોટ

♣ ♥ ♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

તારા પોતાના ઘરદ્વારે
તારા ખુદના અરિસામાં
કરીશ સલામ સ્વયં તું ઉત્તેજનાથી
અને મલકાવશે મોં સર્વે,
કરી સુસ્વાગતમ્‌ અન્યનું.
કહીશ,’આવો,બેસો,જમો’
અને કરીશ પ્રેમ ત્રાહિતને ફરી,
સ્વયં જે તું  હતો,
દે દારુ,દે પાઉરોટી,દે દલડું ખુદને તને,
અપરિચિત એ,ચાહ્યો જેણે સદા તને.
જિંદગી સારી,
કરી અવગણના દુજા કાજે,
જાણે પૂરેપૂરો, દિલથી તને,
એમ કર,ફાડી નાખ પ્રેમપત્રો એ બધા
સંઘર્યા હતા અલમારીમાં તે બધા.
તસ્વીરો,નોંધો,સઘળી મરણિયા
ઉખાડી નાંખ,છબી તારી આયનેથી,
માર પલાંઠી ને માણ મિજબાની,
તું જિંદગાની પર.

♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

કવિશ્રી- ડેરેક વોલકોટ (નૉબલ પ્રાઇઝ વિજેતા કેરેબિયન કવિ)
ગુજરાતી ભાવાનુવાદ - પ્રવિણ પટેલ ‘શશી’ (‘કાવ્યાકાશ’ માંથી.)

કાળું ફૂલ (ગુલે દૂદી)

23 Nov

અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે.

♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની,
હું  ગાઉં  કે  ન  ગાઉં  મારા  કિસ્મતમાં  નફરત  જ  છે,

મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા   મોઢા   પરના   આ   ક્રૂર   ફટકા   વિષે   શું ક હું ?

હું  આ  ખૂણામાં  પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે,
હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે,

મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ,
પણ  મારી   પાંખો   બંધ  છે   અને   હું  ઊડી  શક્તી  નથી,

હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે,
અને   હું   મારું   માથું   બહાર   કાઢીને   મસ્તીથી   ગઝલ   ગાઈશ,

હું   પવનમાં   હાલતી   લતા   જેવી   કમજોર    નથી,
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે…

-(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી )
-’લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫

તું થાકીપાકી જ્યારે આવે છે – નારાયણ સુર્વે

18 Jul

પાંજરામાંની મારી દુનિયામાં કલકલાટ જાગે છે

તું જ્યાંરે થાકીપાકી પાછી આવે છે

બારીમાં આવીને બેસે છે આકાશનું પંખી સુંદર

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ગોળમટોળ ગાલોનું,

સસલું એકદમ હસી ઊઠે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ત્યારે જાણે મારો જીવ પાછો આવે છે

ઘરમાં શીતળ એવો તડકો.

['મરાઠી કવિતા'માંથી,મૂળ કવિશ્રી -નારાયણ સુર્વે]

[અનુવાદ- વસંત જોશી]

મરાઠી કવિ નારાયણ સુર્વેની આ કૃતિમાં સાત્વિક અને પ્રસન્ન દાંપત્યભાવનું નિરૂપણ છે.કાવ્યનાયક કોઈક કારણસર ઘરની બહાર નીકળી શક્તો નથી અને તેથી જ પત્નીને કોઈ નોકરી કરવી પડે છે.રોજ નોકરીએથી છૂટી પત્ની સાંજે ઘરે આવતી હોય છે ત્યારે નાયક કયા મનોભાવો અનુભવે છે એનું નિરૂપણ આ કાવ્યમાં છે.નાયકે પોતાને માટે ‘પાંજરામાંની મારી દુનિયા’ શબ્દો વાપર્યા છે,જે સંભવત : એની અપંગતા અને ગતિહીનતા સૂચવે છે.નાયિકાનું આગમન એને કલરવમય બનાવી દે છે.નાયિકાના આવતાં ઘરનું ગોળમટોળ ગાલવાળું સસલું હસી ઊઠવાની વાત હ્નષ્ટપુષ્ટ બાળકનો સંકેત કરતી લાગે છે.પતિના જીવમાં જીવ આવે છે અને તે સાથે સમગ્ર ઘરમાં પણ જીવ આવે છે.કાવ્યનાયકનું પોતાનું જીવન પિંજરબદ્ધ છે અને તેથી અંધકારમય છે પણ એ અંધકારમય જીવનખંડમાં નાયિકાનું આગમન એને મીઠા તડકા જેવું અને મુક્ત પંખીના કલરવ જેવું લાગે છે.’શીતળ એવો તડકો’ જેવા પરસ્પર વિરોધી શબ્દો મૂકીને કવિએ અહીં ‘તાપ’ નહીં પણ ‘હૂંફ’નો ભાવ પ્રગટ કરી આપ્યો છે.

Follow

Get every new post delivered to your Inbox.